

હળવદ તાલુકાના ચરાડવા ગામમાં હળવદિયા ચતુરબાપાના પરિવારથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. ચતુરબાપાનો પરિવાર એમની આગવી ઓળખ ધરાવતો પરિવાર છે. ચતુરબાપા પોતે નિરક્ષર હતા પણ આવનાર સમયને તેઓ પહેલેથી જ પારખી ગયા હતા કે ભવિષ્યમાં શિક્ષણનું કેટલું મહત્વ હશે. એટલે જ તેમણે તેમના બાળકોમાં શિક્ષણનો પાયો નાખ્યો અને પોતે મહેનત મજૂરી કરીને એમના બાળકોને ભણાવ્યા. એમાં એમના સૌથી નાના પુત્ર આત્મારામ ચતુરભાઈ હળવદિયાને ગુજરાત પોલીસમાં નોકરી મળી તે એમણે સ્વીકારી, સાથે એમનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો અને કોલેજમાં *B.com.* ની ડિગ્રી હાંસલ કરી. એમણે અવિરત અભ્યાસ ચાલુ જ રાખ્યો અને *M.com.* પૂરું કર્યું. ત્યારબાદ એમણે *LLB* કરી કાયદાની સ્નાતક ડિગ્રી હાંસલ કરીને *LLM* (કાયદાની માસ્ટર ડિગ્રી) અનુસ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી ચરાડવા ગામનું નામ રોશન કર્યું અને પોલીસ ખાતામાં બેદાગ નોકરી પૂર્ણ કરીને ૨૦૧૬માં વયનિવૃત્ત થયા.આજે તે અમદાવાદ માં મેટ્રોપોલિટન કોર્ટમાં વકિલાત કરે છે,ચતુરબાપાના પરિવારના છોકરાઓએ આત્મારામભાઈની જીવનશૈલી અને અભ્યાસથી પ્રેરિત થઈને અભ્યાસમાં રુચિ દાખવી અભ્યાસ ચાલુ કર્યો. આજે ચતુરબાપાના પરિવારમાં તેમના પૌત્રો પણ આજે એમની આગવી ઓળખ ધરાવે છે, જેમાં ચતુરબાપાના સૌથી મોટા પૌત્ર વિજય હળવદિયા જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી ધરાવે છે. ત્યારબાદ નિમેષ હળવદિયા જે ટેક્સટાઇલ એન્જિનિયર છે. ત્યારબાદ ચતુરબાપાના ત્રીજા નંબરના પૌત્ર જીગ્નેશ હળવદિયા જેઓ ૨૦૧૧માં ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે જોડાયા અને નોકરી દરમિયાન અભ્યાસ ચાલુ રાખી કોલેજ *BA* મા સ્નાતક નો અભ્યાસ કરીને *MA* ની અનુસ્નાતક ની ડીગ્રી હાંસલ કરી અભ્યાસ પૂર્ણ કર્યો અને ૨૦૧૬માં *પોલીસ સબ ઇન્સ્પેક્ટર* ની ડાયરેક્ટ ભરતીમાં બિન હથિયારી પીએસઆઈ તરીકે સિલેક્શન પામ્યા. આજે ગુજરાત સરકારે એમને પોલીસ સબ ઇન્સ્પેક્ટર માંથી પ્રમોશન આપી *પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપી છે* જે હાલ સુરત સિટીમાં પોસ્ટિંગ છે, જે ચરાડવા ગામ માટે ખૂબ ગૌરવની વાત છે. ચતુરબાપાના ચોથા નંબરના પૌત્ર ધર્મેશ હળવદિયા એ પણ કોલેજમાં *B.A.* સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલ છે. ચતુરબાપાના સૌથી નાના પૌત્ર અનિલ હળવદિયા કે જેમણે *Electrical Engineering* નો અભ્યાસ પૂર્ણ કરી આજે અમદાવાદમાં ઇલેક્ટ્રિસિટી ખાતામાં કાર્યરત છે. મિત્રો, ચતુરબાપાના પરપૌત્ર વિપુલ હળવદિયા પણ શિક્ષણની આ રેસમાં પાછળ નથી. તેમણે પણ *IT engineering* નો અભ્યાસ કરીને નોકરી કરે છે અને સાથે આગળનો અભ્યાસ ચાલુ રાખી પરિવારનું ગૌરવ વધારી રહ્યા છે. ચતુરબાપાના બીજા નંબરના પરપૌત્ર એટલે ક્રિસ હળવદિયા જે આત્મારામભાઈ ના પૌત્ર છે તેઓ પણ શિક્ષણની આ હરોળમાં ક્યાં પાછળ રહેવાના છે ? તેઓ પણ આજે *BBA* નો અભ્યાસ કરી રહ્યા છે.
મિત્રો, આ હળવદિયા (દેવીપૂજક) પરિવારથી સમાજ ના છોકરાઓએ પણ શીખ લેવા જેવી છે કે જે જ્ઞાતિમાં શિક્ષણ લગભગ નહિવત છે ત્યાં આ હળવદિયા ચતુરબાપાના પરિવારે શિક્ષણ પ્રત્યે આટલી જાગૃકતા બતાવી.
