Search
Close this search box.

હળવદમાં ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૩૪ મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

દર વર્ષની માફક આ વર્ષે પણ ૧૪ મી એપ્રિલ એટલે કે ભારતના બંધારણના ઘડવૈયા ભારત રત્ન એવા ડો બાબા સાહેબ આંબેડકરની ૧૩૪ મી જન્મ જયંતી નિમિત્તે હળવદ તાલુકા અનુસુચિત જાતિ દ્વારા આયોજીત હળવદ બસ સ્ટેશન પાછળ આવેલ કોમન પ્લોટ થી બાબાસાહેબની ૧૩૪ મી જન્મ જયંતી નિમિત્તે ભવ્ય રેલીનો પ્રારંભ કરાયો હતો. આ રેલી બસ સ્ટેશન રોડ થી જુના આંબેડકર વિસ્તારમાં થઈને સરાનાકે. લક્ષ્મીનારાયણ ચોક તેમજ બ્રાહ્મણની ભોજનશાળા છેલ્લે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર વિધિ કરીને ડો બાબાસાહેબ અમર રહો જય ભીમના નારા સાથે રેલીનું આયોજન કરાયું હતું આ રેલીમાં ડી.જે ઢોલ નગારાં અબીલ ગુલાલ થી હળવદ તાલુકાના અનુસુચિત જાતિના યુવાનો બાળકો વડીલો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા પ્રસંગે એ વિશ્વ હિન્દુ પરિષદ આર.એસ.એસના તેમજ બજરંગ દળ કાયૅકરો તેમજ ભાજપ અને કોંગ્રેસ હોદ્દેદારો અને કાર્યકરોઓ દ્વારા બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા હળવદ તાલુકા અનુસૂચિત જાતિના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Leave a Comment

और पढ़ें