Search
Close this search box.

હળવદ ના ચરાડવા ગુરુકુળ દુષ્કર્મ કેસમાં સંચાલક સહિતના બે આરોપીને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ ગુરુકુળમાં નર્સિંગમાં એડમીશન લેવા ગયેલ ૨૨ વર્ષીય યુવતી સાથે સંચાલક સહિતના બે ઇસમોએ દુષ્કર્મ આચર્યું હતું જે અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ કોર્ટમાં કેસ ચાલી જતા આજે કોર્ટે ગુરુકુળ સંચાલક સહિતના બેને કસુરવાન ઠેરવી બંનેને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો છે જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ ૦૬-૧૦-૨૦૧૮ ના રોજ હળવદ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી જેમાં ૨૨ વર્ષીય યુવતી ચરાડવા ગુરુકુળમાં નર્સિંગ કોર્સમાં એડમીશન લેવા ગઈ હતી ત્યારે ઓફિસમાં ગુરુકુળના સંચાલક શાસ્ત્રીજી લલીતભાઈ મકનભાઈ પટેલ એડમીશન અંગે વાતચીત કરી ગુરુકુળમાં એડમીશન લેવું હોય તો આવું તો રહેશે કહીને મરજી વિરુદ્ધ ઓફિસમાં જ જાતીય સંભોગ કર્યું અને કોઈને વાત કરીશ તો તારી જિંદગી બગાડી નાખીશ કહેવા લાગ્યા હતા શાસ્ત્રીજી લલીતભાઈ પટેલ અગાઉ પણ જેલમાં ગયેલ હોવાથી ડર લાગ્યો હતો જેથી કોઈને વાત ના કરી અને બીજા દિવસે સવારે ગુરુકુળ ગઈ ત્યારે ઓફિસમાં શાસ્ત્રીજી હાજર ના હતા અને તેનો ભાણો અલ્કેશ મણીલાલ પટેલ હાજર હતા જેને ઓફિસનો દરવાજો બંધ કરી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું જે અંગે હળવદ પોલીસે ચાર્જશીટ રજુ કર્યા બાદ વિશેષ ન્યાયાધીશ (પોક્સો કોર્ટ) અને અધિક સત્ર ન્યાયાધીશ, ફાસ્ટ ટ્રેક સ્પેશ્યલ કોર્ટ મોરબીમાં કેસ ચાલી જતા મદદનીશ સરકારી વકીલ નીરજ ડી કારિયાએ કોર્ટમાં આરોપીઓ વિરુદ્ધ રજુ કરેલ પુરાવાને ધ્યાને લઈને કોર્ટે બંને આરોપીને કસુરવાન ઠેરવ્યા છે આરોપી લલીતભાઈ ઉર્ફે શાસ્ત્રીજી મકનભાઈ આમોદરાને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૧ લાખનો દંડ અને આરોપી અલ્કેશ મહેન્દ્રભાઈ કુંજડીયાને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૧ લાખનો દંડ ફટકાર્યો છે તેમજ ભોગ બનનાર યુવતીને આરોપીઓએ જે દંડની રકમ ભરે તે ૨ લાખ સહીત કુલ રૂ ૪ લાખ વળતર પેટે ચુકવવા આદેશ કર્યો છે.

Leave a Comment

और पढ़ें