



૫/૫/૨૦૨૫ સમસ્ત ગુજરાતના ઠુંગા પરિવાર દ્વારા ૫/૫/૨૦૨૫ સોમવારે પરિવારના સુરાપુરા શ્રી ગાંગા બાપાનો હવન તથા ભગવાન શ્રી દ્વારકાધીશની ધજા ચડાવવાનું આયોજન કરેલ છે.
૫/૫/૨૦૨૫ ની સાંજે ઘાટીલા થી ઠુંગા પરિવાર પગપાળા સંઘ મોટી સંખ્યામાં દ્વારકા જશે ૧૪/૫/૨૦૨૫ બપોરે ઠુંગા પરીવારનો પગપાળા સંઘ દ્વારકા પહોંચી જશે અને રાત્રિના લોક ડાયરાનું દ્વારકા મુકામે આયોજન કરેલ છે.
ગુજરાતના નામાંકિત કલાકારો રાજભા ગઢવી, રામદાસ ગોંડલીયા, વાલભા ગઢવી, સેજલબેન ઠુંગા, પાયલબેન ઠુંગાનો કાર્યક્રમ રાખેલ છે. ૧૫/૫૨૦૨૫ સવારે ૯ વાગે દ્વારકાધીશની ધજા રોહણ કાર્યક્રમ રાખેલ છે.
આ ધાર્મિક પ્રસંગે સમાજના ધર્મગુરુ શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર ઘનશ્યામપુરી બાપુ થરા, સંત શ્રી ધર્મભૂષણ રાજેન્દ્ર દાસ બાપુ તોરણીયા, પરમ પૂજ્ય ભગત શ્રી બાલરામબાપુ, પરમ પૂજ્ય સંત શ્રી મુન્ના બાપુ દ્વારકા, પરમ પૂજ્ય સંત શ્રી રામધણ વાળા બાપુ, રાજકોટ, આશીવચન આપશે.
આ પ્રસંગને સફળ બનાવવા માટે સમસ્ત ઠુંગા પરિવારના કાર્યકરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે
