
હળવદ તાલુકામાં નર્મદાની ત્રણ કેનાલો પસાર થાય છે જેમાં નર્મદા કેનાલમાં રીપેરીંગ કરવાનું હોય ૧૫ માર્ચથી કેનાલો બંધ કરી દેવામાં આવી છે ત્યારે હળવદ મોરબી હાઇવે રોડ પર ચરાડવા ગામ પાસે આવેલ મોરબી બ્રાન્ચ ની કેનાલ પર પુલ પહોળો કરવાની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા પુર જોષમાં ચાલી રહી છે ૧૫ મેથી ખેડૂતો ચોમાસુ વાવેતર શરૂ કરી દેતા હોય છે ત્યારે હાલ અત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા એક બાજુનો પુલ બનાવી દેવામાં આવ્યો છે અને વાવેતર ટાઈમે જો કેનાલમાં પાણી આપવામાં આવે તો સામેનું પુલ પણ તૈયાર થઈ જશે.
