

હળવદ તાલુકાના પલાસણ ગામમાં ૪૫ વર્ષીય આધેડને માથામાં પથ્થરના ઘા ઝીકી ઈજા પહોંચાડી હત્યા કરવામાં આવી હતી જે બનાવ મામલે હળવદ પોલીસે ગુનો નોંધી હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. ગત તા.૨૪ ના રોજ હળવદ તાલુકાના પલાસણ ગામમાં જુના ઝઘડાની અદાવતમાં તળશીભાઈ નાગજીભાઈ વિઠલાપરા (ઉ.વ.૪૫) નામના આધેડને માથામાં પથ્થર વડે ઘા મારી ઈજા કરી મોત નીપજાવ્યું હતું જે બનાવ અંગે મૃતકના પુત્રએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને આધારે હળવદ પોલીસે તપાસ ચલાવી હતી અને હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપી ઝાલાભાઈ રામાભાઈ મુંધવા (ઉ.વ.૪૭) વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
