
નવા માલણિયાદ મુકામે પાદર આવેલા ઝાંપે શ્રી શક્તિ માતાજી તથા ગણપતિ અને હનુમાનજી દાદાના મંદિરમાં ૩૧ મા ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૦ જેટલા યજમાનોએ સાતકમાં બેસીહવન કર્યો હતો. સમસ્ત ગ્રામજનોને ધૂમાડાબંધ આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને મહાપ્રસાદનો લાભ મેળવ્યો હતો. નૂતન ધ્વજારોહણ, સંતો મહંતોના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. જેમાં યજ્ઞના મુખ્ય આચાર્યપદે શાસ્ત્રીશ્રી ચૈતન્ય મહારાજ પાઠક તેમજ વિદ્વાન ભૂદેવો દ્વારા પૂજા કરાવવામાં આવી હતી આ મહોત્સવને સફળ બનાવવા ગ્રામજનોએ તન મન અને ધન દ્વારા ખૂબ જ સહકાર આપવામાં આવ્યો હતો. રાત્રે ડાક ડમરુ અને ભવ્ય દાંડિયા રાસનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
