

સમગ્ર દેશમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી ઉજવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે હળવદ તાલુકાના ચરાડવા ગામે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા આયોજિત હળવદના ચરાડવા ગામે બાબા સાહેબની જન્મ જયંતી નિમિત્તે ભીમ ડાયરો યોજવામાં આવ્યો હતો જેના કલાકાર કમલેશભાઈ બારોટ તથા રાજેશભાઈ બારોટ દ્વારા ભજનવાણી કરવામાં આવી હતી. લોકોએ ખૂબ મજા માણી હતી.
