
૫- બુલડોઝર -૩ ટ્રેક્ટર સહિત મશીનો કામે લાગ્યા, ૬૨ થી વધુ પોલીસ જવાનોનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો



હળવદ સીટી સર્વે અને નગરપાલિકા દ્રારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જુના જીન વિસ્તારમાં ૩૯ જેટલા કાચા પાકા ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવ્યું હતું બુલડોઝર ફેરવતા માલસામાને નુકસાસન થયાનો તે. વિસ્તારના રહીશો આક્ષેપ કર્યો હતો. નાના છોકરાઓ એ નિહાકો મુકીયો પોતાના ઝુંપડાઓ તૂટી ગયેલા જોતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા, શહેરમા અનેક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ નો રાફડા છતાં પણ નાના માણસો ના ઝુંપડામાં બુલડોઝર કેમ ફેરવવામાં આવે છે ? સણસણતો સવાલ કર્યા હતો, ડિમોલેશન દરમિયાન ઝુંપડાના રહીશો વિરોધ નોંધાવ્યો હતો. પરંતુ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો એટલ રહીશો બીચારા બાપલા બની ગયા હતા. જુનાજીન વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી આ શ્રમિક પરિવારો વસવાટ કરે છે, જુના જીન વિસ્તારમાં સીટી સર્વે અને નગરપાલિકા દ્વારા શ્રમિકોના ઝુપડા હટાવવા માટેની કામગીરી સવારથી શરુ કરવામાં આવી હતી. ૩૯ થી વધુ કાચા પાકા ગેરકાયદેસર બાંધકામ ઝુપડા પર બુલડોઝર ફેરવ્યું હતું. સીટી સર્વે અને નગરપાલિકાની ટીમ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી હતી. ૫ – બુલડોઝર અને ૩ ટ્રેક્ટર સહિતના સાધનોની મદદથી ડીમોલીશન કામગીરી શરુ કરવામાં જેસીબી આવી હતી. સ્થળ પર ૬૨ જેટલા પોલીસ જવાનોનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો અને ઝુપડા હટાવવાની કામગીરી શરુ કરી હતી અગાઉ નોટીસ આપ્યા બાદ દબાણ હટાવવાની કામગીરી શરુ કરાઈ હતી જોકે તંત્ર ખાલી ગરીબોના ઝુપડા જ હટાવશે કે પછી પાકા બાંધકામ સામે પણ કાર્યવાહી કરાશે તેવા સવાલો પણ રહીશો માં ઉઠી રહ્યા છે. ૩૬જેટલા ગેરકાયદેસર બાંધકામઓ પર બુલડોઝર સાથે ઝૂંપડા તોડવાના કામગીરી કરીહતી બુલડોઝર પણ ફેરવી નાખવામાં આવ્યું હતું અને ઘર વખરી ધુણધાણી કરી નુકસાન પણ કરવામાં આવ્યું હતું. હળવદ શહેરમાં અડચણરૂપ નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર પાકા દબાણો થયા છે, એટુલ જ નહીં પાલીકાની જમીન માં દબાણો કરી અન્ય શખ્સો ભાડુંવસુલાતી કરી રહ્યા છે, તો આ દબાણણો તંત્ર હટાવશે તેવું પણ શહેરીજનો માં ચર્ચાય રહ્યું છે. ગરીબ લોકોના ઝૂંપડામાં માલસામાન નુકસાન કરી બુલડોઝર ફેરવતા બાળકો અને વૃદ્ધ મહિલાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.. આ સમગ્ર કામગીરીમાં હળવદ સીટી સર્વેના અધિકારી એમ, જે, ભોરાણીયા, નગરપાલિકાના ચીફ ઓફિસર તુષાર ઝાલોરિયા, પીજીવીસીએલના ના,કા, ઈજનેર જે.એલ. બરંડા તથા બે પીઆઈ ચાર પીએસઆઈ તથા ૬૨ પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
