






હળવદમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું વેપારીઓ અડધો દિવસ ગામ બંધ રાખીને શોભાયાત્રા મા જોડાયા.અયોધ્યામાં રામચંદ્ર ભગવાનની બિરાજમાન થતા ભારતભરમાં હિન્દુ સમાજમાં બે વર્ષ થી રામનવમી માં નિમિત્તે અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે ત્યારે હળવદમાં હિન્દુ સમાજમાં વિવિધ જ્ઞાતિના ભાઈઓ બહેનો દ્વારા શોભા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા. વિશ્વ હિન્દુ પરિષદ અને રામોત્સવ સમિતિ દ્વારા આયોજીત હળવદના લક્ષ્મીનારાયણ ચોકથી રામચંદ્ર ભગવાનની આરતી કરી ને શોભાયાત્રા ને પ્રસ્થાન કરવામાં આવી હતી મેઈન બજાર થઈ ને સરા રોડ તેમજ શોભાયાત્રામાં શુશોભીત વાહનો તેમજ તેમજ ઢોલ નગારા ડીજેના તાલે રામચંદ્ર ભગવાનની શોભા યાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી આ શોભાયાત્રા સરા ચોકડી ખાતે પુર્ણાહુતિ થઈ થઈ હતી આ શોભાયાત્રા માં પ્રકાશભાઈ વરમોરા. હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી. શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવે. અજયભાઈ રાવલ. પાટીદાર સમાજના પ્રમુખ જશુભાઈ પટેલ. સરકારી વકીલ વિજયભાઈ જાની. વેપારી મંડળના પ્રમુખ વિનોદભાઈ પટેલ. હળવદ નગરપાલિકા પ્રમુખ ફોરમબેન રાવલ. રણછોડભાઈ દલવાડી સહિતના ઉપસ્થિત રહ્યા હતા આ શોભાયાત્રા માં સફળ બનાવવા જિલ્લા ભાજપના સંયોજક ભાવેશભાઈ ઠક્કર. ગોપાલભાઈ ઠક્કર. અશ્વિનભાઈ પટેલ ડો. મિલન માલમપરા તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો ઓ ભારે જહેમત ઉઠાવી હતી.
