

હળવદ નગર પાલિકા વિસ્તાર મા આવેલ શરણેશ્વર મંદિર ની બાજુ મા આવેલ બગીચા મા ગુજરાત સરકાર ના રમત ગમત તથા સાંસ્કૃતિક ખાતા દ્વારા સંચાલિત પુસ્તકાલય નું નગર પાલિકા પ્રમુખ ફોરમ બેન વિશાલભાઈ રાવલ દ્વારા લોકાપિત્ત કરવા મા આવેલ હતું. આ પુસ્તકાલય મા આશરે ૩૦૦ કરતા પણ વધુ પુસ્તકો તેમજ સરકાર શ્રી ના વિવિધ વિભાગો ની પરીક્ષા ની તયારી કરતા યુવાનો માટે બુક ની વ્યવસ્થા છે. આ પ્રસંગે હળવદ નગર પાલિકા ઉપપ્રમુખ શ્રી સતિષભાઈ, કારોબારી ચેરમેન શ્રી તથા અન્ય ચેરમેન સહિત તમામ નગરપાલિકા ના સદસ્ય શ્રી તથા વિશેષ આમંત્રણ ને માન આપી મોરબી જિલ્લાના પૂર્વ પ્રમુખ શ્રી રણછોડભાઈ દલવાડી તથા હળવદ નગર પાલિકા તથા હળવદ શહેર ના પૂર્વ પ્રમુખ અજયભાઈ રાવલ સાહેબ તથા હળવદ શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તપનભાઈ દવે તેમજ બંને મહામંત્રી શ્રી ઓ તેમજ તમામ પદાધિકારી તથા અધિકારી શ્રી હાજર રહેલ હતા.

