Search
Close this search box.

બુટવડા પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના બાળકોનો વિદાય સમારોહ યોજાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આજરોજ તારીખ – ૦૧-૦૪-૨૦૨૫ ના રોજ શ્રી બુટવડા પ્રા.શાળામાં ધોરણ આઠના બાળકો નો વિદાય સમારોહ યોજાયો હતો. આ તકે ગામના સરપંચ જગાભાઈ સોરીયા તેમજ એસ. એમ. સી. અધ્યક્ષ રમેશભાઈ સોરીયા તેમજ ગ્રામજનો સાથે ભવ્ય સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાની દીકરીઓએ સ્વાગત ગીત રજુ કર્યું હતું. બાળકોએ પોતાની આગવી ઢબે ભાવ પ્રતિભાવો આપ્યા હતા. શાળાના આચાર્ય શ્રી પરેશભાઈએ અધ્યક્ષીય પ્રવચન દ્વારા શુભાશીષ પાઠવ્યા હતા. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક ચૈતન્યભાઈ પાઠકે કર્યું હતું. શાળા પરિવાર દ્વારા આંગણવાડી તથા પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકોને ગુલાબજાંબુ અડવી પૂરી- શાક પાપડ અને છાસનું ભોજન જમાડવામાં આવ્યું હતું.

Leave a Comment

और पढ़ें