

હળવદ તાલુકાના ચરાડવા ગામના સતવારા સમાજના યુવાન તારબુંદીયા ઉમેશભાઈ વાસુદેવભાઈએ ભારતીય સેનામાં પોતાની સફળ સુવર્ણ સેવા આપી નિવૃત્ત થતા સમગ્ર ચરાડવા ગામ તેમજ સતવારા સમાજનું ગૌરવ વધાર્યું અને ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું


તા.૧/૪/૨૫ ના રોજ સતવારા સમાજના યુવાન તારબુંદીયા ઉમેશભાઈ વાસુદેવભાઈએ માં ભોમની માટે ભારતીય સેનામાં ૨૦ વર્ષ સેવા બજવી આજરોજ પોતાના વતન ચરાડવા ગામે આવતા ગામના યુવાનો દ્વારા બાઈક રેલી યોજી ગામમાં વાજતે ગાજતે સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સથવારા સમાજના યુવાનો અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ગામના રિટાયર્ડઆર્મીના અન્ય યુવાનો અને હળવદ તાલુકા સતવારા સમાજના પ્રમુખ બળદેવભાઈ સોનગ્રા, વલમજીભાઈ, રણછોડભાઈ તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા.
