
હળવદના એક સોની એ સો ટકા સોનું કહીને ૭૪% સોનું અને ૨૬% ભેળસેળ વારુ સોનુ પધરાવી દીધુ માલધારીને ચાર લાખનો ચૂનો લગાડી દીધો ત્રણ વર્ષે ભાંડો ફૂટયો ટોટલ રૂપિયા પાછા આપ્યા. હળવદ તાલુકાના સુંદરગઢ ગામના એક માલધારીએ હળવદના સોની પાસે સોનાનો હાર બનાવવા દીધો હતો ૫, તોલા સોના ના રૂપિયા આપી દીધા ત્યારબાદ રૂપિયા ની જરૂર પડતાં બેન્ક મા ગીરવે મૂકવા ગયા ત્યારે બેન્ક હાજર કર્મચારી દ્વારા આમાં ભેળસેળ છે જેનો તમે રિપોર્ટ કરાવો જેથી તે માલધારી સમાજના બહેન દ્વારા રિપોર્ટ કરાવતા ૭૪% સોનુ હતું અને ૨૬% પીતળ નો ભેરસેળ હોવાનું બહાર આવ્યું હતું માલધારીને સોની છેતરી ગયા હોવાનું સામે આવ્યું છે.૨૪/૦૩/૨૦૨૫ના દીવસે સવાર મા અંદાજીત ૧૧/૩૦ વાગે ભોગ બનેલા માલધારી સમાજના બહેન સોનીની દુકાનેજતા દુકાનદારે તેની ભૂલ સ્વીકારી લીધી હતી સમાધાન થયુ હતું .હાલ નો ભાવ લેખે સોની વેપારી દ્વારા ભોગ બનનારને રૂપિયા અને ઘડામણ આપવામાં આવ્યા હતા. હજુ પણ આવા કેટલા લોકો છેતરાયા હશે તે તો ભગવાન જાણે. તો હળવદ ની અને ગ્રામ્ય ની જનતાને અમારી અપીલ છે કે તમારી પાસે સોનું હોય અને જો તમે બિલ ન લીધું હોય તો એકવાર સોનાનો રિપોર્ટ અવશ્ય કરાવી લેજો.
